ઈમરાન ખાન એ આપી ધમકી, કહ્યું- જો મને જેલમાં મોકલવામાં આવ્યો તો હું... || Voice of Gujarat
ઈમરાન ખાન એ આપી ધમકી, કહ્યું- જો મને જેલમાં મોકલવામાં આવ્યો તો હું...

ઈમરાન ખાન એ આપી ધમકી, કહ્યું- જો મને જેલમાં મોકલવામાં આવ્યો તો હું...

ઇમરાન તેના બનિગાલા નિવાસસ્થાન છોડે તે પહેલા જ પીટીઆઈના કેટલાક નેતાઓ કોર્ટમાં પહોંચી ગયા હતા. જો કે, સુરક્ષા અધિકારીઓએ ફવાદ ચૌધરી, શહજાદ વસીમ અને અન્યને રોક્યા કારણ કે તેમના નામ રજિસ્ટ્રાર ઓફિસની યાદીમાં ન હતા.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ધમકી આપી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ધમકી આપી છે કે જો તેમને જેલમાં મોકલવામાં આવશે તો તે વધુ ખતરનાક બની જશે. તેમણે આતંકવાદ કેસની સુનાવણી દરમિયાન ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર પોલીસની ભારે તૈનાતી પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. ખાને કહ્યું કે આખરે આની શું જરૂર છે?

પીટીઆઈ ચીફ પર 20 ઓગસ્ટે યોજાયેલી રેલી દરમિયાન મહિલા ન્યાયાધીશને ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ઈસ્લામાબાદના સદર મેજિસ્ટ્રેટ અલી જાવેદે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ખાન ગુરુવારે કડક સુરક્ષા વચ્ચે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં સેંકડો સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

ઈમરાને કહ્યું- અધિકારીઓ કોનાથી ડરે છે?

ઇમરાન તેના બનિગાલા નિવાસસ્થાન છોડે તે પહેલા જ પીટીઆઈના કેટલાક નેતાઓ કોર્ટમાં પહોંચી ગયા હતા. જો કે, સુરક્ષા અધિકારીઓએ ફવાદ ચૌધરી, શહજાદ વસીમ અને અન્યને રોક્યા કારણ કે તેમના નામ રજિસ્ટ્રાર ઓફિસની યાદીમાં ન હતા. ઈમરાને પૂછ્યું કે અધિકારીઓ શેનાથી ડરે છે? આખરે હાઈકોર્ટની બહાર ભારે પોલીસ બંદોબસ્ત કેમ તૈનાત કરવામાં આવ્યો?

‘કોર્ટમાં આખી વાત મૂકવાની તક મળી નથી’

અહેવાલ મુજબ, ઈમરાને વધુ બોલવાનો ઇનકાર કરતા કહ્યું કે તેની ટિપ્પણીઓને ગેરસમજ થઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ સુનાવણીમાં હાજરી આપ્યા બાદ વાત કરશે. કોર્ટે તેના પર કોર્ટના તિરસ્કારનો આરોપ લગાવવાનું નક્કી કર્યું. આ અંગે ઇમરાને કહ્યું કે તે મહિલા જજને લઈને કોર્ટમાં પોતાનો આખો મુદ્દો મુકવા માંગતો હતો, પરંતુ તક આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે હવે ચૂંટણી જ એકમાત્ર ઉપાય છે.

add image
Top