Secunderabad: ઈલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરતી વખતે શોરૂમમાં લાગેલી આગમાં આઠના મોત, PM મોદીએ કર્યો શોક વ્યક્ત || Voice of Gujarat
Secunderabad: ઈલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરતી વખતે શોરૂમમાં લાગેલી આગમાં આઠના મોત, PM મોદીએ કર્યો શોક વ્યક્ત

Secunderabad: ઈલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરતી વખતે શોરૂમમાં લાગેલી આગમાં આઠના મોત, PM મોદીએ કર્યો શોક વ્યક્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, સિકંદરાબાદમાં આગને કારણે આઠ લોકોના મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.

મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી .

તેલંગાણાના સિકંદરાબાદમાં સોમવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ઇલેક્ટ્રિક સ્કૂટર શોરૂમમાં આગ ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે અહીં ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ થઈ રહ્યું હતું. આગના કારણે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે.

ડીસીપી નોર્થ ઝોન ચંદના દીપ્તિએ જણાવ્યું હતું કે, અગાઉ છ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ અન્ય બે લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે અકસ્માત થયો હતો.

લોજમાં પણ ભરાઈ ગયો ધુમાડો

અધિકારીઓએ જણાવ્યું કે, લોજ પણ શોરૂમની ઉપર સ્થિત છે. આગને કારણે પહેલા અને બીજા માળે ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. આ પછી લોકોએ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. સ્થાનિક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ઘણા લોકો તેમાં ફસાઈ ગયા અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, આગેવાની લીધી અને લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં સર્વિસિંગ માટે આવેલા પાંચ નવા સ્કૂટર અને 12 જૂના સ્કૂટર બળીને રાખ થઈ ગયા હતા.

પીએમ મોદીએ કર્યો શોક વ્યક્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, "સિકંદરાબાદમાં આગને કારણે આઠ લોકોના મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ સાથે તેમણે મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી .

ઘટનાની તપાસ ચાલુઃ ગૃહમંત્રી

ઘટના બાદ સ્થળ પર પહોંચેલા તેલંગાણાના ગૃહ મંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ફાયર બ્રિગેડની ટીમોએ લોજમાંથી લોકોને બહાર કાઢવાનો તમામ પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે ધુમાડાને કારણે કેટલાક લોકોના મોત થયા હતા. લોજમાંથી કેટલાક લોકોને બચાવી લેવાયા હતા. ઘટના પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

add image
Top